For More Information And Updates Join Now Telegram
Posts

Standard 8

 વિષય : વિજ્ઞાન 
વિષયાંગ :              


  • દિવસ રાત થવાનું કારણ શું છે?
  • ચોમાસાની ઋતુમાં વરસાદ આવેજ નહિ,                     તેને શું કહેવાય ?
  • વધુ પડતાં વરસાદ ની સ્થિતિમાં વધુ ભેજના કારણે પર્વતીય જમીન ધસવાની ઘટનાને શું કહે છે ?
  • નદીના જળસ્થળમાં વધારાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાને શું કહે છે ?
  • ભારે પવન સાથે વરસાદ ને શું કહે છે ? 
  • આ બધી ઘટનાઓ કેવી છે 




વિષય : વિજ્ઞાન 
               વિષયાંગ : કેટલીક કુદરતી ઘટનાઓ          


વીજળી

તણખાંઓ : થાંભલાના તાર , સોકેટ પ્લગ, વાદળોમાં થતી વીજળી 



→ વીજળી (Lightning) થવાનું કારણ વાદળોમાં એકઠો થતો વીજભાર છે.

તણખાંઓ વિશે ગ્રીકોનું જ્ઞાન : 

→ અંબરના સળિયાને ફર સાથે ઘસવામાં આવે ત્યારે તે વીજભાર મેળવે છે અને કાગળના ટુકડા કે વાળ જેવા હલકા પદાર્થોને આકર્ષે છે. આ જ રીતે બૉલપેનની રીફિલને પૉલિથીન સાથે ઘસવામાં આવે છે ત્યારે તે વીજભાર મેળવે છે. વીજભાર મેળવેલા પદાર્થોને વીજભારિત પદાર્થો કહે છે.


→ વીજભાર બે પ્રકારના છે:


  1. ધન વીજભાર
  2. ઋણ વીજભાર.


→ સમાન પ્રકારના વીજભારમાં અપાકર્ષણ અને અસમાન વીજભારમાં આકર્ષણ થાય છે.


→ કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે છે ત્યારે કાચના સળિયા પર ઉત્પન્ન થતા વીજભારને ધન વીજભાર ગણવામાં આવે છે અને રેશમના કાપડમાં ઉત્પન્ન થયેલા વીજભારને ત્રણ વીજભાર ગણવામાં આવે છે.


→ ઘસવાથી ઉત્પન્ન થતો વીજભાર સ્થિર (Static) હોય છે. આથી આને સ્થિર વીજભાર કે ઘર્ષણ વિદ્યુત કહે છે. તેઓનું જાતે વહન થતું નથી.








પ્રશ્નો :
ઘસવાથી ઉત્પન્ન થતા વીજભાર ને શું કહે છે ?
વીજભાર નું વાહન થાય છે તેને શું કહે છે ?
વીજભાર ના પ્રકારો જણાવો .



ઇલેક્ટ્રૉસ્કોપ

→ ઇલેક્ટ્રૉસ્કોપ સાધનનો ઉપયોગ કોઈ પદાર્થ વીજભારિત છે કે નહિ તે ચકાસવા માટે થાય છે.







→ વીજભારિત પદાર્થ પરથી ધાતુના સુવાહક મારફતે બીજા પદાર્થ સુધી વીજભારનું વહન કરી શકાય છે.











→ વીજભારિત પદાર્થથી પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ (Earthing) કહે છે.





→ બે વાદળોના ધન વીજભાર અને ત્રણ વીજભાર (અસમાન વીજભારો) કે જમીન અને નજીકના વાદળના અસમાન વીજભારો મળતાં તેજસ્વી પ્રકાશનો લિસોટો તથા અવાજ ઉત્પન્ન થાય છે. આને વીજળી થઈ એમ કહીએ છીએ. આ પ્રક્રિયાને વિદ્યુતભાર વિભારણ કહે છે.



વીજળી સુરક્ષા



→ વીજળી પડવાથી જાનહાનિ અને સંપત્તિનો નાશ થઈ શકે છે.


→ વીજળી અને ગાજવીજ સાથેના તોફાન દરમિયાન કોઈ પણ ખુલ્લી જગ્યા સલામત નથી. ઘર કે ઇમારત એ સલામત સ્થળ છે.


→ ગાજવીજ સાથેના તોફાન દરમિયાન શું ન કરવું અને શું કરવું તેની માહિતી હોવી જોઈએ.

  • ઘરની બહાર : ખુલ્લા વાહનો,ખુલ્લા મેદાનો, ઊંચા વૃક્ષો, બગીચાના છાપરા, છજા વગેરે વીજળીના આંચકાથી બચાવી શકતા નથી. નીચા વૃક્ષ નીચે જ આશ્રય લેવો ખુલ્લા મેદાનમાં થાંભલા કે ધાતુના પદાર્થથી દૂર રહેવુ. ઘૂંટણ પર હાથ રાખી ઉભડક બેસી જવું  



  • ઘરની અંદર : વીજળી એ ટેલીફોન તાર અને ધાતુ પાઇપ ત્રાટકી શકે તેથી તેનાથી દૂર રહેવુ. વહેતા પાણીથી દૂર રહેવું. ટીવી, કોમ્પ્યુટર જેવા વીજળીથી ચાલતા સાધનો બંધ રાખવા.




  પ્રશ્નો 

- પદાર્થ વીજભારીત છે કે નહિ તે જાણવા વપરાતું સાધન કયુ છે ?
- વાદળોમાં વીજભાર
- જમીન પાસે વીજભાર
- વીજભારીત પદાર્થો માંથી વીજભાર નો પૃથ્વી માં વહનને શું કહે છે ?



મૂલ્યાંકન કસોટી 

૧. વીજભારના પ્રકારો ________ છે.

(A) 3 (B) 4 (C) 2    

૨. અર્થિંગ વાયર માટે ________ વપરાય છે.

(A) ધાતુ (B) અધાતુ (C) અર્ધ ધાતુ   

           ૩. પદાર્થ વીજભારિત છે કે નહિ તે જાણવા ________ વપરાય છે.

૪. વીજભારનું વહન ________ બનાવે છે.

(A) સ્રોત (B) અવરોધ (C) વીજ પ્રવાહ   


Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.